Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક દર્દીઓનો કોરોનાથી મૃત્યુ : નવા 120 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 89 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 45 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 14 કેસ,માણાવદરમાં 13 કેસ ,માળીયા અને માંગરોળમાં 6-6 કેસ,ભેસાણ અને વંથલીમાં 5-5 કેસ, વિસાવદરમાં 4 કેસ મેંદરડામાં 2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે આજે કોરોનાના નવા 120 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 89 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 120 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 45 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 14 કેસ,માણાવદરમાં 13  કેસ ,માળીયા અને માંગરોળમાં 6-6 કેસ,ભેસાણ અને વંથલીમાં 5-5 કેસ,વિસાવદરમાં 4 કેસ મેંદરડામાં 2 કેસ નોંધાયા

(11:44 pm IST)