Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

શ્રી ઉદાસીન આશ્રમ તાલાલાગીર મા પૂજય સદગુરૂદેવ શ્રી સોબરનદાસબાપૂની ચોથી પુણ્યતિથિ ઉજવાઈ

 વાંકાનેર તાલાલાગીરમા આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ ના બ્રહ્મલીન મહંત પૂજયપાદ સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂ ની પાંચમી પુણ્યતિથિ કોરોના ની મહામારી વચ્ચે સાદાઈથી ઉજવણી કરવામાં આવેલ હતી , સવારના પૂજય ગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂ નુ પૂજન અર્ચનવિધિ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે શ્રી ઉદાસીન આશ્રમ ના મહંત શ્રી ગણેશદાસજી મહારાજશ્રીએ કરેલ હતું સાથે સેવક સમુદાય ઉપસ્થિત રહેલ, તેમજ પૂજય ગુરૂદેવ નો સુક્ષમરૂપે બપોરના 'સંતોનો દિવ્ય ભંડારો  મહા પ્રસાદ યોજાયેલ હતો ,, પૂજય ગુરૂદેવશ્રી ના મંદિર ને લાઈટ ડેકરોસન થી પુષ્પો થી સજાવટ કરવામાં આવેલ હતું અને પૂજય શ્રી સોબરનદાસબાપૂ ના ચરણોમાં પ્રાર્થના કરેલ હૈ ગુરૂદેવ આ કોરોના ની મહામારીમાંથી સહુને બચાવજો તેમ મહંત શ્રી ગણેશદાસજીબાપૂએ કહેલ હતું.

(12:09 pm IST)