Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ઈકોઝોનની ભેટ આપનારા ભાજપે મતની આશા રાખવી નહીં :તાલાલાના 30થી વધુ ગામડાઓમાં બેનર લાગ્યા

 

ગીર સોમનાથના તાલાલાના 30થી વધુ ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા છે. ઈકોઝોનની ભેટ આપનારા ભાજપ સામે બદલો લેવા અને ઇકોઝોનની ભેટ આપનારા ભાજપે લોકસભાની ચૂટણીંમાં મતની આશા રાખવી નહીં તેવું લખાણ સાથેના બેનરો લાગતા  ચર્ચાનો વિષય બન્યા છે. જન અંધિકારમંચ દ્વારા લગાવવામાં આવેલા બેનરો લોકચર્ચાએ ચડ્યા છે.

 ભાજપે ગીર પંથકને ઈકો ઝોનમાં લાવીને સ્થાનિકોને તેમના અધિકારીથી વંચિત કર્યાના આક્ષેપો થતા રહે છે. લોક અધિકાર મંચ ગીરના તમામ ગામડામાં ભાજપનો વિરોધ કરશે તેમ ખેડૂત પ્રવિણ રામે કહ્યુ છે.

 

(12:33 am IST)