Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મીઠાપુરના સુરજકરાડી ગામે નવનિર્મીત રામ મંદિરે રામ જન્મોત્સવ ઉજવાયો

ઓખા મંડળ તાલુકા ના મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામે તાજેતરમાં જ નવનિર્મીત પામેલ રામ મંદિરે ગત વસંત પંચમી ના રોજ શ્રી રામ પ્રભુની નવી મૂર્તિ પ્રસ્થાણિત કરવામાં આવી છે. ત્યારબાદ પુનહ બનેલા આ મંદિરે પહેલોજ પ્રસંગ શ્રી રામ નો જન્મોત્સવ આવતા શ્રી રામમંદિર કમીટી દ્વારા આ પ્રસંગને જોરશોરથી ઉજવવામાં આવ્યો હતો. આ તકે રામનવમી ના પવિત્ર દિવસે સવારે ડી.જે. ના સથવારે એક ભવ્યશોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે રામભકતો જોડાયા હતા. ત્યારબાદ બરાબર ૧૨ વાગ્યે રામજન્મ કરવામાં આવ્યો હતો. ભારે દબદબાભેર રામનવમી ની ઉજવણી કરાઇ હતી. (તસ્વીર દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(2:37 pm IST)