Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મૂળીમાં સ્વામીનારાયણ ભગવાનનો જન્મોત્સવ

વઢવાણ : મૂળીમાં શ્રી સ્વામીનારાયણ ભગવાનના જન્મદિને જવાહર ચોક સ્થિત મૂળીના સ્વામીનારાયણ મંદિરથી ભવ્ય સુશોભીત ટ્રેકટરો, બેન્ડપાર્ટી સાથે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો ઉપર નિકળેલી. તેમા હજારોની સંખ્યામાં હરિભકતો સંતો જોડાયેલ હતા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં સત્સંગી ભાઇઓ બહેનો જોડાયેલા. બપોરે ૧૨ કલાકે શ્રીરામ જન્મ આરતી કરેલી રાત્રે ૧૦ કલાકે શ્રી સ્વામીનારાયણ ભગવાનનો ૨૩૮મો જન્મોત્સવ ઉજવેલો. કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજી, શૈલેન્દ્રસિંહ ઝાલા, શ્રી નરનારાયણ દેવ યુવક મંડળે જહેમત ઉઠાવેલી. શોભાયાત્રા નિકળી તે તસ્વીર.

(12:50 pm IST)