Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પત્નિ ઝઘડો કરી પિયર ચાલી જતા શિહોરમાં પતિનો આપઘાતઃ ગોહિલવાડમાં ૩ની આત્મહત્યા

ભાવનગર તા. ૧૯: પત્નિ ઝઘડો કરી પિયરની જતી રહેતાં પતિએ આવેશમાં આવી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ સિહોરમાં શર્મા પાર્કમાં રહેતાં નીતીનભાઇ બળવંતભાઇ જગડ (ઉ.વ. ૩૮) ને તેની પત્નિ સાથે કોઇ બાબતે ઝઘડો થતાં પત્નિ રિસામણે પિયર ચાલી જતાં આવેશમાં આવી જઇ જાતેથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

એસીડ પી યુવાનનો આપઘાત

ચિત્રા વિસ્તારમાં ઇન્દરાનગરમાં રહેતાં ચંદુભાઇ ચોથાભાઇ મકવાણા (ઉ.વ. ૩૮) એ તેનાં ઘેર કોઇ અકળ કારણોસર એસીડ પી લેતાં અત્રેની સર ટી.હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

વૃધ્ધાનો એસીડ પી આપઘાત

આપઘાતનાં વધુ એક બનાવમાં ભાવનગરનાં નારી ગામે રહેતાં મંજુબેન કાળુભાઇ કણકોટીયા (ઉ.વ. ૭૦) નામની વૃધ્ધાએ બિમારીથી કંટાળી જઇ એસીડ પી લઇ આપઘાત વહોરી લીધો હતો.

(12:44 pm IST)