Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શાપર(વેરાવળ) ખાતે રામદેવનગર ગ્રુપ દ્વારા ડો. બાબા સાહેબની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય રેલી

શાપર વેરાવળ તા.૧૯: આજરોજ તા.૧૭ના ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિમાં વિશાળ સંખ્યામાં ભીમ યાત્રા નિકળી જેમાં વેરાવળ ગામના એસ આઇ ડી સી રોડ વિકાસ સ્ટવ રોડ સ્ટેચ્યુને ફુલહાર કરી કુમાર શાળા તથા શાપર પોલીસ મથક તથા શાંતિધામ સહિત જાહેર માર્ગ પર ભીમ યાત્રા નિકળી હતી અને ફટાકડા ફોડીને દિવાળી માફક ઉજવણી કરવામાં આવી બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ઉપસ્થિત સામાજિક આગેવાન ગોપાલસિંહ જાડેજા તથા રઘુભા ગોહિલ વિજયસિંહ ઝાલા અમૃતભાઇ દાફડા નાથાભાઇ ગોહેલ જગુભાઇ કોરાટ, જસ્મતભાઇ સાગાણી, રવિરાજસિંહ જાડેજા, ધીરૂભાઇ કોરાટ તેમજ શાપર વેરાવળ પોલીસ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

(12:38 pm IST)