Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

 જામકંડોરણા : ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી તથા સુરાપુરા શ્રી ખીમજીબાપાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તેમજ પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન, સમાજના વડીલોનું સન્માન, તેમજ સમાજમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યકિતઓનું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ પ્રસંગે મહેશભાઇ બારોટનો લોક સાહિત્ય, હાસ્યરસ અને માતાજીના ભકિતગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ નવચંડી યજ્ઞના યજમાન અને બાલધા પરિવારના આ શુભ કાર્યના તમામ ખર્ચના દાતા શ્રી શૈલેષભાઇ બાબુભાઇ બાલધા પરિવાર (અમદાવાદ) એ હાજરી આપી હતી. ધો. ૧ થી ૧ર તેમજ કોલેજ તથા ડીગ્રી ધરાવતા બાળકો તથા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ગીફટ આપી સન્માનીત કરવામાં આવેલ તેમજ પરિવારના વડીલોનું સન્માન કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર ગુજરાતભરના બાલધા પરિવારોએ હાજરી આપી હતી.

(12:37 pm IST)