Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જેતપુરના ખીરસરા ગામે ઝેરી દવા પી લેનારા જગદીશભાઇ પટેલ સારવારમાં છે

ગઇકાલે મૃત્યુનો અહેવાલ પ્રસિધ્ધ થતા ચનીયારા પરીવાર દ્વારા સ્પષ્ટતા કરાઇ

જેતપુર, તા.,૧૯:  જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા પટેલ યુવાન જગદીશભાઇ છગનભાઇ ચનીયારા (ઉ.વ.૪પ) એ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાનો અહેવાલ ગઇકાલે  પ્રસિધ્ધ થયો હતો. જે અંગે જગદીશભાઇ પટેલના પરીવારજનોએ  સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જગદીશભાઇ પટેલ હાલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે અને હેમખેમ છે.

સંબંધીત તંત્રની ભુલના કારણે જગદીશભાઇનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો.

 ભૂલભર્યા અહેવાલો પ્રસિધ્ધ થતા જગદીશભાઇ પટેલ તથા તેના પરીવારને પડેલ તકલીફ બદલ દિલગીરી  વ્યકત કરીએ છીએ અને જગદીશભાઇ પટેલ ઝડપથી સાજા થઇ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

(12:35 pm IST)