Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભાવનગર જીલ્લામાં હનુમાન જયંતીની ઉજવણી : વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ભાવનગર તા ૧૯ :  ભાવનગરમાં હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરાઇ હતી. શહેરમાં ગોળીબાર હનુમાન મંદિર, ઝંકરીયા હનુમાન મંદિરે સવારથી જ ભાવિકોની ભીડ જામી હતી. સુંદરકાંડ, મહાપ્રસાદ, મહાઆરતી રામદરબાર, સંતવાણી, ડાયરો, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે અંજની પુત્રની જન્મજયંતી ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવાઇ હતી. વહેલી સાવરથી જ હનુમાન મંદિરોમાં ભાવીકોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં  સુંદરકાંડ, મહાપ્રસાદ, મહાઆરતી, યજ્ઞ, ધ્વન પુજન, રામદરબાર, સત્યનારાયણ કથા, સંતવાણી, ડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં રૂપાણી સર્કલ વિસ્તારમાં આવેલ પોૈરાણીક અને આસ્થાના  પ્રતિકરૂપ શ્રી ગોળીબાર હનુમાન મંદિરના મહંત પુજા મનમોહનદાસ બાપાના  આર્શીવાદ થી પૂ.  કલ્યાણીબેન અને ભાવીક ભકતો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઝાંકરીયા હનુમાન મદિરે પણ મોટી મોટી કતારો જોવા મળી હતી.

(12:34 pm IST)