Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જસદણના વધુ એક વિસ્તાર વાજસુરપરામાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા !!!

જસદણ તા. ૧૯ :.. વોર્ડ નંબર-ર વાજસુરપરામાં કોઇ કામો થતાં ન હોવાને કારણો કેટલાંક ઠેકાણે એવા બેનર માર્યા કે કોઇ રાજકીય પાર્ટીએ મતથી ભીખ માંગવા માટે બનાવવાના પ્રશ્ને બેનરો લગાડયાના સમાચારની શાહી સુકાય નથી. ત્યારે અચાનક વાજસુરપરામાં બેનરો લાગી અને ટોળાં એકઠાં થતાં લોકોમાં આશ્ચર્ય થયું છે. આ વોર્ડમાં ભાજપના-૩ અને કોંગ્રેસના -૧ નગરસેવકો ચૂંટાયા છે. નવાઇની બાબત એ છે કે આ વિસ્તારમાં ભાજપના જ ત્રણ નગરસેવકો છે. અને શહેર નગરપાલિકામાં ભાજપનું જ શાસન છે. ત્યારે આ બેનર કોણે લગાડયાં ? કયાં કામો થતા નથી ? કયાં પક્ષ વિરૂધ્ધ છે ? એવા અનેક કારણો જાણવા મળ્યા નથી.

દોઢ વર્ષથી ભાજપનું શાસન છે. આ દરમિયાન ભાજપના સભ્યો અંદરો - અંદર બાખડવાનું કાર્ય કરી રહ્યાં છે. કેટલાંક સભ્યો તો દરરોજ સમસ્યાઓના મેસેજ સોશ્યલ મીડીયામાં મુકે છે. ત્યારે રાજકારણીઓના બહિષ્કારના જાહેરમાં બોર્ડ લગાવતાં હાલ તો તરેહ તરેહની ચર્ચાઓ સ્થાનીક રાજકીય પક્ષોમાં જાગી છે.

(12:33 pm IST)