Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ગોંડલમાં પરશુરામ જયંતિ

 ગોંડલ ખાતે ભગવાન પરશુરામજી ના પ્રાગટ્ય દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિમંડળો ના આગેવાનો એ ઉપસ્થિત રહી મહાઆરતી અને પુજન માં ભાગ લઇ સમાજ ને જોડતો સરાહનીય સંદેશ પુરો પાડયો હતો. ભુવનેશ્વરીમંદીર ખાતે બ્રહ્મ સમાજ ના ચેરમેન પુ.ઘનશ્યામજી મહારાજ ની અધ્યક્ષતા હેઠળ મહાઆરતી તથા પુજન નું આયોજન કરાયું હતુ. જ્ઞાતિ-જ્ઞાતિ ઓ ને જોડવી અને તે દ્વારા સમાજ ને મજબુત કરતી પહેલ બૃમ્હ સમાજ દ્વારા કરી શહેર ની વિવિધ જ્ઞાતિઓ ના હોદ્દેદારો ને જન્મોત્સવ ઉત્સવ માં આમંત્રિત કરી બ્રહ્મ સમાજ સાથે તેઓનાં હસ્તે ભગવાન શ્રી પરશુરામજી નું પૂજન કરાયું હતુ. કાર્યક્રમ માં ધારાસભ્ય ગીતાબા જાડેજા ઉપરાંત ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક,માંધાતા ગૃપ ના સ્થાપક ભુપતભાઈ ડાભી લોહાણા સમાજ ના કિશોરભાઈ અનડકટ,અંતુભાઇ કારીયા, ક્ષત્રીય સમાજ ના ઘમભા જાડેજા, વિજયસિંહ જાડેજા, ગરુડસિહ ઝાલા, નગરપાલિકા સદસ્ય રાજેન્દ્ર સિંહ જાડેજા, દલીત સમાજ ના ગિરધરભાઇ સોલંકી, દિનેશભાઇ માધડ દિનેશભાઇ પાતર આહીર અગ્રણી ગોરધનભાઈ પરડવા,વિહીપના પૃમુખ મહેશભાઈ કોલી, આર એસ એસ ના એન.ડી.ઝાલા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહી મહાઆરતી અને પુજન માં ભાગ લીધો હતો.પુ.ઘનશ્યામજી મહારાજે આર્શિવચન પાઠવ્યા હતાં, કાર્યક્રમ માં બ્રહ્મ સમાજ ના હોનહાર જય વ્યાસ ને શ્રધ્ધાંજલી અપાઇ હતી. પુજન બાદ મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું. ઉત્સવ ને સફળ બનાવવા બ્રહ્મ સમાજ ના પ્રમુખ જીતુભાઈ આચાર્ય, ગિરીશભાઈ રાવલ, ઘનશ્યામભાઈ પંડયા, રજનીભાઈ પંડયા વગેરે જહેમત ઉઠાવી હતી.(૨૩.પ)

(12:11 pm IST)