Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કોડીનાર બ્રહ્મસમાજ દ્વારા પરશુરામજી જયંતીની ઉજવણી

 કોડીનાર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની કોમી એકતાના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતી નિમીતે બપોરે ભગવાનના પુજન બાદ બ્રહ્મપુરી ખાતેથી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી બ્રહ્મપુરી ખાતે પહોંચી હતી શોભાયાત્રા દરમિયાન કોળીચોરામાં કોળી સમાજ દ્વારા અને બાપુ કાદરી-ઇકબાલ મકલાઇ વગેરે દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી જમદગ્ની મહંતનુ઼ ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં જમદગ્ની મહંત હરીદાસબાપુ-બ્રહ્મસમાજના વકીલ અમુબાપા જાની તાલુકા પ્રમુખ ડો. ભરતભાઇ જાની, શહેર પ્રમુખ અનુભાઇ તેરૈયા-દિનેશભાઇ જોષી સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓ સહિત બ્રહ્મસમાજના ભાઇ-બહેનો મોટીસંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

(10:02 am IST)