Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સારા કાર્યમાં સપોર્ટર બનો, રિપોર્ટર નહિ : પૂ. ધીરજમુનિ

સુરેન્દ્રનગરના સરદાર સંઘમાં ૧પ સંતોની ઉપસ્થિતિમાં અતિથિ ભવનનું ઉદ્ઘાટન સંપન્ન

રાજકોટ, તા. ૧૯ : શ્રી સરદાર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને પૂ. ધીરગુરૂદેવે સંબોધતા જણાવેલ કે સમાજના જે કામ કરો તે તરત કરો, સરસ કરો અને એક બીજાના કાર્યમાં સપોર્ટર બનજો, રિપોર્ટર નહિ.

શાસન રત્ન પૂ. રામઉત્તમકુમાર મુનિ. મ.સા. પૂ. જિતેન્દ્રમુનિ મા.સા. પૂ. ચૈત્યમુનિ મ.સા. સહિત ૧પ સંતો અને ૪૧ મહાસતીજીઓની ઉપસ્થિતિમાં અતિથિ ભવનના લાભાર્થી પરિવાર હસમુખભાઇ મહેતા, વિપીનભાઇ ટોલીયા, સગાભાઇ પરિવાર, રાજુભાઇ કેસ્ટ્રોલવાળા તથા જીવદયા કળશના લાભાર્થી પૂર્વ નગરપતિ હીનાબેન ગિરીશભાઇ ગાંધીનું સન્માન કરાયું હતું. ગ્રામ્ય વિસ્તારના વિહારધામ માટે સાતાકારી પાટનો લાભ દાતાઓએ લીધેલ.

પૂ. શ્રી ધીરજમુનિ મ.સા. બોટાદ પધાર્યા બાદ તા. ર૩ના જોરાવરનગર ખાતે રામગુરૂ ભગવાન ધીર-જયોત આરાધના ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પધારશે.(૮.૬)

(11:38 am IST)