Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ગોવાના સીએમ સ્વ. મનોહર પર્રિકરના સંભારણા : ભૂકંપ બાદ માળિયાના દેવગઢને દત્તક લીધું હતુ

ભૂકંપ બાદ ગામને બેઠું કરવા પર્રિકરે અમૂલ્ય યોગદાન આપેલ

 

ગોવાના સીએમ વર્ષ, મનોહર પાર્રિકરના મોરબી જિલ્લાના માળિયાના દેવગઢ ગામ સંભારણા વાગોળી રહ્યું છે વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં મોરબી જિલ્લામાં પણ વિનાશ સર્જ્યો હતો ત્યારે સીએમ સ્વ,પર્રિકરે માળિયાના દેવગઢ ગામને દત્તક લઈને તેને બેઠું કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું

 વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મોરબી જિલ્લામાં પણ વ્યાપક નુકશાન થયું હતું આવા કપરા દિવસોમાં મનોહર પર્રિકરે પોતાની સંવેદનશીલતાનો પરિચય આપીને માળિયાના દેવગઢ ગામને દત્તક લઈને અમૂલ્ય યોગદાન આપ્યું હતું જેથી ગામલોકો જીના સંસ્મરણો વાગોળી રહ્યાં છે અને તેઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે

(12:31 am IST)