Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પાલીતાણામાં કારની ડેકીમાંથી ર બાળકોના લાશનો ભેદ નથી ઉકેલાયો ત્યા તેમના માતાએ ઝેરી દવા પી લઇને મોત મીઠુ કર્યુ

 ભાવનગર, તા. ૧૯:  ભાવનગર જીલ્લાનાં પાલીતાણામાં થોડા સમય પહેલા કારની ડીકીમાંથી બે બાળકોથી લાશ મળી આવી હતી. દરમ્યાન આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જૈન તીર્થભૂમિ પાલીતાણામાં થોડા દિવસો પહેલા કારની ડીકીમાંથી બે બાળકોની લાશ મળી આવી હતી અને બન્ને બાળકોની હત્યા થઇ હોવા અંગે ભારે ચકચાર મળી જવા પામી હતી. આ બનાવનો ભેદ હજુ ઉકેલાયો નથી. તો આજે જે બાળકોની લાશ મળી આવી હતી તે બાબતેથી માતા પાલીતાણાનાં પરીમલ ચોક વિસ્તારમાં રહેતી રેશ્માબેન નામથી મહિલાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા વહોરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પી આપઘાત કરનાર રેશ્માબેનના બે બાળકો જીયાત અને આફરીનની લાશ પાંચ મહિના પહેલા કારની ડીકીમાંથી મળી આવી હતી.

(2:25 pm IST)