Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ધોરાજી રામપરા સમસ્‍ત માલધારી સમાજ દ્વારા રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્‍સવ

 ધોરાજી, તા.૧૯ : રામપરા સમસ્‍ત માલધારી સમાજ દ્વારા તા.૩૦ થી ૩૧ બે દિવસ રામદેવજી મહારાજનો સવરો મંડપ મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્‍ટ્ર ધીગી ધરાના સંતો મહંતો ભાવિકો મોટી સંખ્‍યા ઉમટી પડનાર છે.  આ ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ  હાથ ધરાઇ છે.

ધોરાજીના રામપરા સમસ્‍ત માલધારી સમાજના આગેવાનો લાખાભાઇ રબારી , દાનાભાઇ, નાજાભાઇ, મીઠાભાઇ, હરદાસભાઇ, રાણાભાઇ સહિતના આગેવાનોએ રામદેવજી મહારાજ સરવા મંડપ  મહોત્‍સવના આયોજન અંગે જણાવાયું હતું કે ધોરાજીના રામપરા સમસ્‍ત માલધારી સમાજ દ્વારા તા.૩૦ થી ૩૧ બે દિવસીય રામદેવ મહારાજ મંડપ મહોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમા શુક્રવાર સવારે ૮.૩૦ વિષ્‍ણુ મહાયાગ, તથા તા.૩૦/૩ સાંજે પ કલાકે સંતોના સામયા જેમા પરમ પુજય શ્રી૧૦૦૮ મહામંડલેશ્રવર શ્રી કનીરામદાસજી બાપુ (વડવાળા મંદિર દુધરેજ) મહંત શ્રી કરશનદાસજી બાપુ  પરબધામ પુ.૧૦૮ મહંત ઘનશયામપુરી બાપુ (જય વાડીનાથ-થરા) પુ.રાજેન્‍દ્રદાસ બાપુ લઘુ મહંત પરબધામ-તોરણીયા, સંતશ્રી માનસરોવરદાસજી વડવાળા મંદિર, અશોક બાપુ મૈખાટીબડી, મહંતશ્રી બંસીદાસજી મહારાજ, જનમેજય ગીરીબાપુ, લઘુ મહંત સંત દેવરાજ ધામ બાજકોટ, સહિતના સંતો મહંતોના સામયા કરાશે. તા.૩૦ રાત્રે ૯ કલાકે નામાંકિત કલાના આરાધકો રશમીતાબેન રબારી, માયાબેન દુધરેજીયા, વિજયદાન ગઢવી સહિતના કલાકારોનો સંતવાણી ડાયરો તા.૩૦/૩ શુક્રવાર થી તા.૩૧/૩ શનિવાર સુધી અખંડ  પ્રભુ  પ્રસાદી તા.૩૧ ને હનુમાન જયંતી શનિવારે સવારે ૮.૧પ રામદેવ મહારાજ નો સ્‍થંભ ખડો કરવાનો ભવ્‍ય બે દિવસીય રામદેવ મહારાજ સવરા મંડપ મહોત્‍સવનો ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પાવનકારી સંત તથા પસાદ સંતવાણીમાં પધારવા આમંત્રણ પાઠવેલ છે. ધોરાજી રામપરા  માલધારી સમાજ આયોજીત બે દિવસીય રામદેવ મહારાજ સવરા મંડપ મહોત્‍સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

(2:00 pm IST)