Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ધોરાજીના તોરણિયા ગામે તા. ર૧ થી ર૩ સુધી ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ

તુલજા ભવાનીની મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ભાવિકો ઉમટશે

 ધોરાજી તા. ૧૯ :.. ધોરાજીના તોરણીયા ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે તા. ર૧ અને ર૩ ત્રણ દિવસીય તુલજા ભવાની માતાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરેલ છે.જેમાં તોરણીયા નકલંકધામના મહંત ધર્મભુષણ સંત શ્રી રાજેન્‍દ્રદાસબાપુ ખાસ ઉપસ્‍થિત રહી આર્શીવચન પાઠવશે. તેમજ યજ્ઞ આચાર્યશ્રી શાષાી ચેતન મહારાજ (દત ટેકરી તડકા પીપળીયા) સ્‍વામી મુકતેસ્‍વરૂપદાસજી (સિધ્‍ધનાથ મહાદેવ મંદિર જૂનાગઢ) તેમજ હેમતલાલ પ્રભાશંકરભાઇ ભટ્ટ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.તા. ર૧ ને બુધવારના રોજ સવારે ૯ કલાકે રથયાત્રા શોભાયાત્રા નિકળશે. - પ્રતિમાનું સામૈયુ, મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાશે. તા. રર ને ગુરૂવારના રોજ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નીજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્‍ઠા ધ્‍વજારોહણ બાદ સંતો-મહંતોના અશિવાદ આપશે.

(2:00 pm IST)