Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભાવનગરના મુસ્‍લીમ યુવાનનું પીપળી પાસે વાહન અકસ્‍માતમાં મોત

ભાવનગર, તા. ૧૯ :. રૂવાપરી રોડ, લાન્‍ડા શેરી વિસ્‍તારમાં રહેતા અને હાલમાં છેલ્લા બે વર્ષથી ધંધાઅર્થે અમદાવાદના શાહઆલમ, પાકીઝા સોસાયટીમાં રહેતા અને માલ-સામાન હેરફેર માટેના યુટીલીટી અશોક લેલન્‍ડ ગાડીનું ડ્રાઈવીંગ કરતા નાસીરહુસેનભાઈ મહંમદભાઈ ડેરૈયા (ઉ.વ.૪૦) ને મોડી રાત્રે ૨ થી ૪ના સુમારે પોતાની ગાડી લઈને દીવથી અમદાવાદ પોતાના ઘર તરફ જતા હતા તે વેળાએ પીપળી પાસે આમંત્રણ હોટલની પાસે સામેથી પુરઝડપે આવતી સેલવાશ-સાવરકુંડલા એસ.ટી. બસના ચાલકે પોતાની બસ બેફીકરાઈથી ચલાવી નાસીરહુસેનની ગાડીને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ નાસીરહુસેન ડેરૈયાનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.

મૃતક નાસીરહુસેનના મૃતદેહને આજરોજ ભાવનગર તેમના નિવાસ સ્‍થાન લાવવામાં આવેલ અને આજે સાંજે ભાવનગરના કંસારા કબ્રસ્‍તાનમાં દફનવિધિ કરવામાં આવેલ. મૃતક નાસીરહુસેનના એક દિકરા અરબાઝ (ઉ.વ.૧૮) અને દિકરી અલફીયા (ઉ.વ.૧૨) અને પત્‍નિ શબાનાબેન સહિતના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(1:58 pm IST)