Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટંકારાના વીરપર ગામનો વિકાસ રૂંધાયો હોવાનું કહીને ઉપસરપંચ સહીત ત્રણ સભ્યોએ રાજીનામાં ફગાવ્યા

ટંકારા :  ટંકારા તાલુકાના વીરપર ગામે વિકાસના કામો નહિ થવાના કારણે ઉપસરપંચ સહીત ત્રણ સભ્યોએ રાજીનામું આપ્યું છે. વિકાસના કામો સમય મર્યાદામાં નહીં થતા અને સરકારી યોજનાઓના લાભો મળતા ન હોવાથી ગામનો વિકાસ રૂંધાયો હોવાનું જણાવીને ગ્રામ પંચાયતના વોર્ડ નં-૩ ના સભ્ય અને ઉપસરપંચ બાવરવા ભગવતીબહેન પ્રભુભાઈ, વોર્ડ નં-૫ ના સભ્ય લીખીયા નિર્મળાબહેન કાંતિલાલ અને વોર્ડ નં-૬ ના સભ્ય મેવા ધીરજલાલ ઓધવજીભાઈએ સભ્યપદેથી રાજીનામું સરપંચને આપ્યું હતું. આ અંગે ટંકારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે.

(12:09 pm IST)