Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કેશોદના સુથાર વૃધ્‍ધ શાપુર પાસે ટ્રેનમાંથી પટકાયાઃ બંને પગ કપાયા

૬૦ વર્ષના લીલાધરભાઇ ઉમરાળીયાને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૯: કેશોદના ઘનશ્‍યામનગરમાં રહેતાં લીલાધરભાઇ ગોરભનભાઇ ઉમરાળીયા (ઉ.૬૦) નામના ગુર્જર સુથાર વૃધ્‍ધ સાંજે ટ્રેનમાં બેસીને જતાં હતાં ત્‍યારે જુનાગઢના શાપુર પાસે દરવાજા પાસે ઉભા હોઇ ચક્કર આવતાં પડી જતાં બંને પગ કપાઇ જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

પરિવારજનોના જણાવ્‍યા મુજબ લીલાધરભાઇ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે જુનાગઢ સગાને ત્‍યાં જવા કેશોદથી ટ્રેનમાં બેઠા હતાં. શાપુરના નાલા પાસે પહોંચ્‍યા ત્‍યારે એકાએક ચક્કર આવતાં પડી ગયા હતાં અને ટ્રેન હેઠળ આવી જતાં બંને પગ કપાઇ ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(11:52 am IST)