Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

શિવરાત્રી મહોત્સવ અંતર્ગત દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા દ્રોણેશ્વર મહાદેવનું ષોડશોપચાર સાથે પૂજન કરાયું

ઉનાતા.9 ગિરિવર ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં, ભોળાનાથ ભગવાન મહાદેવની સાનિધ્યમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ રહેલ છે ત્યારે આજથી પાંચેક હજાર વર્ષ પુર્વે પાંડવ ગુરુ દ્રોણાચાર્યજીએ મચ્છુન્દ્રી નદીને કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળ ધારા વહી રહી છે તે એવા ઐતિહાસિક અને પ્રસાદીભૂત મંદિરના પરિસરમાં બિરાજીત દ્રોણેશ્વર મહાદેવજીનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓ દ્વારા ષોડશોપચાર સાથે બિલીપત્રોથી શિવપૂજન કરવામાં આવ્યું હતું. પૂજનમાં ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી અને શાળાના આચાર્યશ્રી મહેશભાઇ જોષી જોડાયા હતા

(12:53 pm IST)