Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોટાદૂધીવદરમાં સ્વ. સાહીલભાઇને અંજલી અર્પી શ્રધ્ધાસુમન સભા

ધોરાજી : દૂધીવદર ખાતે શિક્ષણવીદ પ્રવિણભાઇ લાખાણીના મોટાભાઇના પુત્ર સાહીલભાઇનું અવસાન થતા દૂધીવદર ખાતે સ્વ. સાહીલની પ્રાર્થના સભા યોજાયેલ હતી. જેમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ ધારાસભ્યો તેમજ રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ સામાજીક સંસ્થાના  આગેવાનો તેમજ શિક્ષણવિદરે તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સંતો  - સહિતના લોકો પધારેલ હતા સ્વ. સાહીલ લાખાણી સાથે અભ્યાસ કરતા રોયલ સ્કુલના વિદ્યાર્થીઓ સહિતના લોકોએ સ્વ. સાહીલને શ્રધ્ધા સુમન અર્પણ કરેલા હતાં. અને તેમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતી અર્પે એજ પ્રાર્થના કરેલ હતી. શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતા તે તસ્વીર.

(11:55 am IST)