Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મુંબઇના વશરામભાઇ મકવાણાનું ભેંસાણમાં સીડીએથી પડી જતાં મોત

રાજકોટ તા. ૧૯: મુંબઇના વૃધ્ધનું ભેંસાણમાં સીડી પરથી પડી જતાં મોત નિપજ્યું છે.

મુંબઇ અંધેરીમાં બીએમસી ચાલ રામ મંદિર પાસે રહેતાં વશરામભાઇ પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ.૭૫) હાલ જુનાગઢના ભેંસાણમાં ચલાકા પ્લોટમાં આવ્યા હોઇ અહિ ગત રાતે ત્રણેક વાગ્યે ઘરમાં સીડી ઉતરતી વખતે પગથીયા પરથી પડી જતાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને રામજીભાઇ પટેલે પ્રાથમિક કાગળો કરી ભેંસાણ પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)