Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વડિયા ગૌશાળા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

 વડિયાઃ દર વર્ષેની જેમ વડિયા સોરઠીયા માહાજન વાડી ખાતે સ્નેહ મિલનમાં વડિયા ગૌશાળા અને સ્મશાનના સેવાભાવી સંસ્થા દાતા અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.સ્મશાન અને ગૌશાળાને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ હતી. મુંબઈના દાતા હષિદાબેન દ્વારા ગૌશાળા અને સ્મશાન પાસે પક્ષીઓ માટે ત્રણ માળના ચબુતરો બનાવવાની જાહેરાત કરવામાં આવેલ હતી જેમા ચબુતરા સાથે સાથે પક્ષીઓ માટે ઘર પણ બનાવવામાં આવશે આ કાર્યક્રમમાં વડિયા પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઇ રાજકોટીયા,વડિયા સરપંચ છગનભાઈ ઢોલરીયા,ગટુભાઈ મીરાણી સહિત મોટી સંખ્યામાં ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા અને વડિયા ગૌશાળા પાસે ચબુતરા નું ભુમી પુજન કરવામાં આવેલ હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ અહેવાલઃ જીતેશગીરી ગોસાઈ.વડિયા)

(11:48 am IST)