Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ભાવનગરમાં વ્હોરા સમાજના બુરહાની ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ સંપન્ન

ભાવનગર તા.૧૯: શહેરના દાઉદી વ્હોરા સમાજના બુરહાની ગ્રુપ દ્વારા પોતાના બાવનમાં દિવંગત ધર્મગુરૂ ડો.સૈયદના અબુલ કાઇદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી અ)ની સ્મૃતીમાં અને વર્તમાન ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો.સૈયદના અબુ જાફ્રુસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત ઉ શ)ની લાંબી આવરદા માટે એક રકતદાન કેમ્પ યોજેલ હતો. જેમાં વ્હોરા ભાઇ બહેનો રકતદાન કરી પોતાના બન્ને ધર્મગુરૂ પ્રત્યે આસ્થા વ્યકત કરી હતી. આ કેમ્પમાં ભાવનગર દાઉદી વ્હોરા સમાજના આમીલ યુનુસભાઇ સાહેબ શહેરના અગ્રણીઓ અજિતસિંહ, હનુમંતસિંહ, રસિકભાઇ વાઘેલા, વોરાભાઇ, ડો.આનંદ રાણીંગા, રાજેશભાઇ, લાલજીભાઇ, ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને બુરહની ગ્રુપનો  આ ર૮મો કેમ્પ સફળતાપૂર્વક રહ્યો હતો.

આ તકે ગ્રુપ તરફથી ઇસ્માઇલભાઇ ટીનવાળાએ જણાવ્યું હતું કે લોકોને કંઇક રીતે કામમાં આવું એ શીખ સંદેશ અમારા માનવતાવાદી ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબનો છે. અલ્લાહના રહેમોકરમથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક થયો છે.

(11:47 am IST)