Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળી બે સંતાનોના દિવ્યાંગ પિતાનો ગળેફાંસો ખાઈને આપઘાત: અરેરાટી

મોરબીના સામાકાંઠે રહેતા આધેડે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાંતિનગરમાં રહેતા કરીમભાઈ ખતીશા રતના (ઉ.વ.૪૦) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસના ફિરોઝભાઈ સુમરાની ટીમ સ્થળે પહોંચી હતી

મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ ચલાવી હતી જેમાં મૃતક તેના જ વિસ્તારમાં કરીયાણા દુકાન ચલાવતો હોય આર્થિક સંકડામણથી કંટાળી તેને આપઘાતનું પગલું ભર્યાનું જાણવા મળ્યું છે મૃતક દિવ્યાંગ હોય તેમજ તેના પત્ની પણ દિવ્યાંગ હોવાનું અને મૃતકને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે

(8:56 am IST)