Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સગા ફુઆને મારી નાખી અમદાવાદ નાસી જનાર ખંભાળીયાનો કિશોર અઢી વર્ષે ઝડપાઇ ગયો

ખંભાળિયા તા. ૧૮: જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૧૭૧/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે ગુન્હાના કામનો આરોપી શની દિલીપભાઇ નકુમ  રહે. ગંગા જમના હોટલની બાજુમાં તેની બહેન તથા બનેવીને મળવા માટે નવચેતન સ્કુલ પાસે આવેલ ગોકુળીયામાં , રામનગર , ખંભાળીયા ખાતે આવેલ છે.  જેથી મળેલ હકિકત મુજબ શનિભાઇ દિલીપભાઇ  નાથ બાવા ઉ.વ.૧૮ ધંધો. ગ્રીસ કામ રહે. હાલ. અમદાવાદ , થલતેજ ચોકડી, સાંઇબાબાના મંદિરની બાજુમાં , ફુટપારી ઉપર તથા ગાંધીનગર , બસ સ્ટેન્ડની પાછળ ઝુપડપટ્ટીમાં  તે ઈન્સપેકટર જે.એમ.પટેલે ઓળખ આપી પુછપરછ કરતા શનીએ આજથી બે  થી અઢી વર્ષ પહેલા જ્યારે પોતે આશરે ૧૬ વર્ષનો હતો અને ગંગા જમના હોટલની પાછળ, પાણીના ટાંકાની બાજુમાં રહેતો હતો ત્યારે તેનાજ ફુવા માનસીંગભાઇ સાથે રસ્તા પરથી ચાલવા બાબતે  બોલાચાલી થતા શનીએ માનસીંગભાઇને ટાયરનો ઘા કરેલ પરંતુ માનસીંગભાઇને લાગેલ નહી અને ટાયર બાજુમા પડી ગયેલુ હતુ. ત્યારબાદ શનીએ દોડીને પોતાના ઘરમાંંથી લાકડી લઇને આવેલ અને શનિએ માનસીંગભાઇને માથાના પાછળના ભાગે એક લાકડીનો ઘા મારેલ જેથી માનસીંગભાઇનુ મૃત્યુ નિપજેલ હતુ. અને સામાન્ય બોલાચાલીનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને હત્યા નિપજાવીને આ શની ત્યાંથી ભાગી ગયેલ અને નાસતો ફરતો હતો કાયદાથી સંઘર્ષમાં  આવેલ કિશોર અવસ્થામાં હોય જેથી મજકુર ઈસમને ડિટેઇન કરી આગળની કાર્યવાહી અર્થે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં  પી.એસ.આઇ. એચ.ડી.હીંગરોજા , એ.એસ.આઇ. મહંમદ બ્લોચ, વિરેન્દ્રસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ સવાણી, જિવાભાઇ ગોજીયા, ઈરફાનભાઇ ખીરા, પોલીસ કોન્સ. ધમભા જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સુરેશભાઇ વાનરીયા, અરશીભાઇ માડમ, કિશોરસિંહ જાડેજા, રાકેશભાઇ સિધ્ધપુરા, રોહિતભાઇ થાનકી, નિલેશભાઇ કારેણા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:12 pm IST)