Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમરેલી ખાતે દશનામ ગોસ્વામી સમાજના મહા સમુહલગ્નોત્સવ તથા ઐતિહાસિક ધર્મ સભા યોજાઈઃ પંદર હજાર લોકોની જંગી મેદનીઃ મહામંડલેશ્વરો તથા રાજકીય વ્યકિતઓ ઉપસ્થિત રહ્યાઃરાષ્ટ્ર ભકિત જોવા મળી

અમરેલીઃ શ્રીમહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ આયોજીત મહા સમુહલગ્નોત્સવ તથા ધર્મસભા કરવામાં આવી હતી આ ૫૯ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તથા ધર્મસભામાં મહંતશ્રી હરીગીરી બાપુ કાશી મહામંત્રી આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ મહંતશ્રી પ્રેમગીરીબાપુ સભાપતિ અધ્યક્ષ હરિદ્વાર, શ્રીમહંત ઈન્દ્રભારથીબાપુ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જુનાગઢ, મહામંડલેશ્વરશ્રી મહેન્દ્રાનંદગીરીજી જૂનાગઢ, કિન્નર અખાડા આચાર્ય મહામંડલેશ્વર માઁ લક્ષ્મીનંદગીરીજી તથા અન્ય કિન્નર અખાડા ના આઠ મહામંડલેશ્વરો, સાધ્વીશ્રી જયઅંબાગીરીજી, મહામંડલેશ્વરશ્રી સ્વારૂપાનંદ સરસ્વતીજી, મહામંડલેશ્વરશ્રી બ્રહ્માનંદગીરીજી અન્ય સંતો મહંતો સમગ્ર ભારતમાંથી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા આ તકે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલાજી ગુજરાત રાજય વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમર ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત વગેરે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહાસમુહલગ્નોત્સવ તથા ધર્મસભામાં ૧૫ હજાર જેટલા ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. મહાસમુહલગ્નોત્સવ તથા ધર્મસભાની શરૂઆત માં માનવ મેદની, સંતો મહંતો, નવ દંપતીઓ સ્ટેજ ઉપર ઉભા રહી રાષ્ટ્ર ગીત ગાઈ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રગીરી અમરેલી કૃષ્ણગીરી લીંબડી, અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા, મહેન્દ્રગીરી રાજકોટ, હરેશગીરી ગોસાઈ, પ્રકાશગીરી, ગુણવંતપરી લાઠી, અર્જુનગીરી, રમેશપરી, ઙ્ગવગેરે મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના સભ્યોએ મહેનત કરી હતી આ તકે ઉપસ્થિત સંતો મહંતોનું ત્રિશુલ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ અમીતગિરી ગોસ્વામીની યાદી જણાવેલ છે.

(1:08 pm IST)