Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ખીરસરા ગુરૂકુળના સંતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી

ખીરસરા તા ૧૯ : ખીરસરા સ્વામીનારાયણ ગુરૂકુળના સંતો, શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓએ ભારત દેશ માટે જીંદગીનું સ્વ. જીંદગીનું બલીદાન આપેલ શહીદ જવાનોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે મોૈન પાળી રાષ્ટ્રગાન ગાઇ, મીણબતી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પી હતી. આ શ્રધ્ધાંજલી સભામાં સંસ્થા ના પ્રમુખશ્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામીએ શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કેે દુનિયાના તમામ પ્રેમ કરતા દેશપ્રેમ એ સોૈથી શ્રેષ્ઠ પ્રેમ વે, દેશભકિત એ શ્રેેષ્ઠ ભકિત છે, સૈનિક બનવા અને સંત બનવા જો આપણા સંતાનોને સમર્પિત નહી કરવામાં આવે તો દેશનું ભાવિ ધૃંધળુ છે. સૈનિક દેશની રક્ષા કરે છે, સંત દેશની સંસ્કૃતિની રક્ષા કરે છે. બંનેના કાર્યને કોટો કોટી વંદન.

(11:52 am IST)