Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વાંકાનેર દાઉદી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ સાથે શહીદવીરોને શ્રધ્ધાંજલી

વાંકાનેર :  કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓએ ભારતના વિર જવાનોની બસ ઉપર આત્મઘાતી હુમલો કરી સી.આર.પી.એફ. ના જવાનોને ગદારોએ મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારતમાં આતંકવાદીઓ અને  તેને પોસતા પાકિસ્તાન સામે ભારે રોષ ભુભકી ઉઠયો છે, ત્યારે વાંકાનેર દાઉદી વ્હોરા સમાજે પણ ભારે આઘાતની લાગણી અનુભવી હતી, અને ભારતના શહીદ થયેલા વીર જવાનોને સંવેદના સાથે શ્રધ્ધાંજલી અર્પવા બજારરોડની મસ્જીદ ખાતેથી જનાબ આમીલ સાહેબ અને વ્હોરા સમાજના અગ્રણીઓની આગેવાનીમાં સમસ્ત વ્હોરા સમાજે કેન્ડલ માર્ચ સાથે ચાવડી ચોક, માર્કેટ ચોક, સ્ટેશન ચોક થઇ જડેશ્વર રોડ ઉપર દાઉદી વ્હોરા મુસાફર ખાને પહોંચેલ, જયાં શહીદ જવાનો ને શ્રધ્ધાંજલી આપેલ અને શહીદ વીરોના પરિવારને આ દુઃખદ ઘટનાને સહન કરવાની ઇશ્વર શકિત આપે તેવી દુઆ ગુજારી હતી. (તસ્વીર-અહેવાલ નિલેશ ચંદારાણા-વાંકાનેર) (૩.૪)

(11:46 am IST)