Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જામજોધપુરમાં ચિમનભાઈ સાપરીયા દ્વારા લગ્નનાં ચાંદલાના રૂ. ૩.૫૧ લાખ શહિદ જવાનોના પરિવારને અર્પણ

લગ્ન પ્રસંગે સ્ક્રીન ઉપર દેશભકિતના ગીતો ગુંજ્યા

જામજોધપુર, તા. ૧૯ :. પૂર્વ કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાના પુત્રના લગ્ન પ્રસંગે 'સત્કાર સમારોહ' યોજાયો હતો.

તેવા સમયે યુવા મંત્રી ચિમનભાઈ સાપરિયા પોતાના તરફથી શહિદ જવાન પરિવારજનો માટે ૧,૧૧,૦૦૦ (એક લાખ અગિયાર હજાર) અને સત્કાર સમારોહમાં પધારેલ મહેમાનોના ચાંદલાની રકમ ૨,૪૦,૦૦૦ એમ કુલ ૩ લાખ ૫૧ હજાર શહિદ ફંડમાં જાહેર કરેલ તેમજ લગ્નના સ્ક્રીન પર લતાજીનું દેશભકિત ગીત 'એ મેરે વતન કે લોગો...' દ્વારા શહીદવીરોને શ્રધઘ્ધાંજલી અર્પણ કરી અને અનોખુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ હતું.(૨-૬)

 

(11:42 am IST)