Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આમરણમાં શહીદોને શ્રધ્ધાસુમન

 આમરણ ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આમરણ શાખાના ઉપક્રમે વિશાળ રેલી અને શોકસભા યોજાઇ હતી. હિન્દુ-મુસ્લિમ કોમી એકતા સમી આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનોએ પણ જોડાઇને 'પાકિસ્તાન મુર્દાબાદ', 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે આક્રોશ પ્રદર્શિત કર્યો હતો. રેલીનું ગાંધી ચોકથી પ્રસ્થાન કરી દાવલશાવાસ, બસ સ્ટેશન વિસ્તાર થઇને અંતમાં ગાંધી ચોકમાં શોકસભા યોજી બે મિનિટનું મોૈન ધારણ કરી વીરજવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા તે પ્રસંગની તસ્વીરઉ(તસ્વીરઃ મહેશ પંડયા)(૧.૨)

(9:57 am IST)