Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વાણંદ સમાજમાં અનેરો ઉત્સાહઃ અમરેલીમાં લિમ્બોચ માતાજીની ફરશે શોભાયાત્રા

માર્ચમાં ઉજવાશે ધર્મોત્સવઃ મહાઆરતી, નિવેદ સહિતના ધર્મભીના કાર્યક્રમો

અમરેલી,તા.૧૯: અહીયા વાણંદ જ્ઞાતિ વાડી દ્વારા શહેર સહિત તાલુકા લેવલે સૌ પ્રથમ વખત કુળદેવી શ્રી લિમ્બોચ માતાજીનો નિવેદ ઉત્સવ ધર્મભીના માહોલમાં આસ્થાભેર ઉજવાશે...જેમાં શોભાયાત્રા પણ વિવિધ માર્ગો ઉપર ફરનાર હોવાથી ભાવિકોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ પ્રવર્તિ રહયો છે.

 

ધર્મોત્સવ પ્રસંગે તા.૨૫મી માર્ચે સવારે ૧૦ વાગ્યે શ્રી નાગનાથ મંદિર પાસે સૌ એકત્રિત થવાના છે...વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા ફર્યા બાદ એસ.ટી.ડેપો પાસે જીમખાના ગ્રાઉન્ડમાં માતાજીની મહાઆરતી, નિવેદ-પ્રસાદનો તમામ જ્ઞાતિજનો લાભ લઇ ધન્યતા અનુભવશે.સૌ ભાવિકોને ઉમટી પડવા જયંતિભાઇ રહજીભાઇ બુધેલીયા અને જયંતિલાલ અમરેલીયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(12:05 pm IST)