Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સોમનાથ - વેરાવળ- સુત્રાપાડામાં ઘરે ઘરે શરદી,ઉધરસ,તાવના વાયરાથી ભારે ભય

કોરોના કેસોમાં પણ ભારે વધારો ત્રીવેણી સ્મશાન ઘાટે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે બે ના અંતિમ સંસ્કાર કરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં ઘરે ઘરે શરદી ઉધરસ તાવ નાવાયરા થી ભારે ભય ફેલાયેલ છે સરકારી ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓના ઘસારો થઈ રહેલ છે સતત કોરોના કેસો માં પણ વધારો થતો જાય છે ૪૮ કલાકમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ત્રીવેણી સ્મશાન ઘાટે બે ના અંતિમ સંસ્કાર કરાયા છે.

વેરાવળ સુત્રાપાડા તાલુકામાં ૪૮ કલાકમાં અચાનક શરદી ઉધરસ તાવના અસંખ્ય કેસો આવેલ છે તેના હીસાબે અનેક ખાનગી હોસ્પીટલોમાં રેપીડ ટેસ્ટમાં મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ આવતા તેઓને પાંચ દિવસની દવા આપી હોમ કોરોન્ટાઈન કરાય છે તેમજ સરકાર હોસ્પીટલોમાં પણ ઓપીડી સતત વધારો થઈ રહેલ છે કોરોનામાં હાલમાં દર્દીઓ સારવારમાં ૩ દર્દી છે સતત કોરોના કેસોમાં વધારો થઈ રહેલ છે છેલ્લા ૪૮ કલાકમાં ત્રીવેણી સ્મશાન ઘાટમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે બે ના અંતિમ સંસ્કાર કરાયા છે.

(1:05 pm IST)