Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરતમાં બસ સળગી જવાની ઘટનામાં થોડા સમય પહેલા લગ્ન કરનાર પત્નિનું મોતઃ પતિ સારવારમાં

ગોવા ફરીને પરત ભાવનગર જવા રાજધાની બસમાં નીકળ્યાને દુર્ઘટના સર્જાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૯ :  સુરતમાં લકઝરી બસ સળગી જવાની ઘટનામાં ભાવનગરની યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે તેના પતિ દાઝી જતા હોસ્પિટલ ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરનુ નવલાણી દંપતી ગોવાથી વિમાનમાં આવી ગઇરાત્રે સુરતથી બસમાં ભાવનગર જતું હતું.પતિને ઈજા રાજધાની ટ્રાવેલ્સની એસી લકઝરી બસમાં લાગેલી આગના બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલ (૩૨ વર્ષિય) વિશાલ નારાયણ નવલાણી સ્મીમેર હોલ્પિટલમાં દાખલ છે. વિશાલ મૂળ ભાવનગરનો વતની છે. વિશાલના તાન્યા (ઉં.વ.૩૦) નામની  યુવતી સાથે તાજેતરમાં લગ્ન થયા હતા . જે નવલાણી દંપતી ગોવા ફરવા ગયા હતા . ત્યારે મંગળવારે ગોવાથી ફલાઇટમાં બેસીને સુરત આવ્યા હતા. ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ભાવનગર જવા માટે બુકિંગ કરાવ્યું હતું . રાતના સમયે દંપતી બસમાં બેસીને ભાવનગર જવા નીકળ્યો હતો. ત્યારે હિરાબાગ ખાતે બસમાં આગ લાગતા વિશાલ દાઝી ગયો હતો . જયારે તેની પત્ની તાન્યા વિશાલભાઈ નવલાણી ઉં.વ.૩૦નું દાઝી જતા મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે.

(12:43 pm IST)