Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અલગ રહેતા પિતાની સતત યાદ આવતા ,મોરબીના વાવડી રોડ પર રહેતી ૧૫ વર્ષની સગીરાનો આપઘાત.

મોરબીના વાવડી રોડ પરની સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુમતિનાથ સોસાયટી વાવડી રોડ પર રહેતી માનસી નીલેશભાઈ કાનાણી (ઉ.વ.૧૫) નામની સગીરા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી.
જે બનાવ મામલે તપાસ ચલાવતા પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક સગીરાના પિતા અલગ રહેતા હોય અને સગીરા તેની માતા સાથે રહેતી હોય અને પિતાની યાદ આવતી હોય જેથી લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:57 am IST)