Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વિરપુર (જલારામ)માં રહેતા અજાણ્યા યુવકનું કોરોનાથી મોત

વિરપુર (જલારામ) : અહીં રહેતા અજાણ્યા યુવકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થયું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોકટર દીપ માલા મુધરાણીએ જણાવેલ કે, મુકેશભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.૨૫) રહે. વિરપુર માનકેશ્વર તા. જેતપુર જી. રાજકોટવાળો કોવીડ-૧૯ પોઝિટિવ આવેલ હોય અને મરણ ગયેલનું જાહેર કરેલ હોય મરણ જનારના વાલી વારસ કોઇ ના હોય જો કોઇને મળી આવ્યે તો વિરપુર પોલીસ સ્ટેશને દેવાયતભાઇ બારીયા (મો.નં. ૯૨૬૫૧ ૩૧૫૫૦) અથવા વિરપુર પોલીસ સ્ટેશન નં. ૦૨૮૨૩ ૨૮૧૫૩૫ જાણ કરવા જણાવ્યું છે.

(11:12 am IST)