Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

માંગરોળના ફુલરામાના કેશુભાઇ પરમારને બાટવાના નાનડીયા પાસે અકસ્‍માતઃ મોત

છકડાને કારે ઉલાળતાં બનાવઃ રાજકોટ હોસ્‍ટિલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯: માંગરોળના ઘેડ વિસ્‍તારમાં ફુલરામા ગામે રહેતાં કેશુભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામના વણકર યુવાનનું બાટવાના નાનડીયા નજીક વડાળા તરફના રસ્‍તે વાહન અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે.
જાણવા મળ્‍યા મુજબ ફુલરામા ગામે રહેતાં કેશુભાઇ પરમાર ૧૬મીએ સાંજે છકડો રિક્ષા હંકારીને જતાં હતાં ત્‍યારે નાનડીયા નજીક બાટવા-વડાળા રોડ પર છકડો સાથે કાર અથડાતાં કેશુભાઇને ગંભીર ઇજા થતાં માંગરોળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જેમીનભાઇ પટેલે કાગળો કર્યા હતાં. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

 

(10:52 am IST)