Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જયેશભાઇ રાદડીયાએ રામ મંદિર માટે રૂ.૨૦.૫૧ લાખનો ચેક સંતોને અર્પણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૯: જેતપુર શહેર ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન-જેતપુર એકમ દ્વારા સમર્પણ નિધિ કાર્ય માટેના કાર્યાલયનો શુભારંભ કરાવતા યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા એ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવેલ કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને તે માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત બને નિધિ એકત્રીકરણ કાર્યક્રમમાં સહયોગ આપવા સૌને અપીલ કરી હતી.

તેમજ આ શુભ પ્રસંગે યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાએ સંતો મહંતોની વિશેષ ઉપસ્થીતીમાં મંદિર નિર્માણ નિધિમા ફુલની પાંખડી સ્વરૂપે રૂ.૨.૫૧.૦૦૦/નો ચેક અર્પણ કરેલ હતો.

આ પ્રસંગે જેતપુરના ઉદ્યોગપતિઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય જનતા પાર્ટી સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેતપુરના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રામ જન્મભૂમિ મંદિર અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અયોધ્યામાં ભવ્ય મંદિર બને તે માટે જેતપુરમાં નિધિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:58 am IST)