Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પૂ. મોરારીબાપુના હસ્તે પૂ. જલારામબાપા પરિવારની ઉપસ્થિતીમાં વિરપુરમાં કથા સ્થળે ધ્વજ વંદનઃ બ્રહ્મચોર્યાસી

(વિરપુર જલારામ): પૂ. જલારામબાપા દ્વારા શરૂ થયેલ અન્નક્ષેત્રના ૨૦૦ વર્ષ પુર્ણ થતા આજથી વિરપુર (જલારામ)માં પૂ. મોરારીબાપુ ના વ્યાસાસને શ્રીરામ કથાનો પ્રારંભ  થનાર  છે ત્યારે આજે કથા સ્થળે  પૂ. મોરારીબાપુના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ તકે પૂ. જલારામબાપા  પરિવારજનો તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પૂ. મોરારીબાપુ અને પૂ. જલારામબાપા પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસીનો પ્રારંભ  કરાયો હતો. (તસ્વીર - અહેવાલઃ કિશન મોરબીયા- વિરપુર જલારામ)

(1:11 pm IST)