Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

પોરબંદરના પારાવાડામાં લગ્નના જમણવારમાં છાશ પીધા બાદ ૨૭૫ને ઝેરી અસર

૨ વ્યકિતઓ ગંભીર, જામનગર ખસેડાયા : અન્યને પોરબંદર તથા અડવાણા સારવાર માટે ખસેડાયા : જિલ્લા આરોગ્ય ટીમ તાબડતોડ દોડી આવી

 પોરબંદર તા. ૧૯ : તાલુકાના પારાવાડામાં લગ્ન પ્રસંગના જમણવારમાં છાશ પીધા બાદ ૨૭૫ વ્યકિતઓને ઝેરી અસર થતાં પોરબંદર હોસ્પિટલ તથા અડવાણા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયેલ છે. બે વ્યકિતઓની હાલત ગંભીર હોય જામનગર સારવાર માટે ખસેડાયેલ છે.

આ બનાવની જાણ થતાં જિલ્લા આરોગ્ય ટીમ તાબડતોબ સ્થળ ઉપર ૨ એમ્બ્યુલન્સ સાથે આવી ગયેલ અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ૧૦થી ૧૫ વ્યકિતઓને અડવાણા આરોગ્ય કેન્દ્રમાં તેમજ પાંચથી વધુ વ્યકિતઓને પોરબંદર ખસેડાયેલ છે. બાકીની વ્યકિતઓને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી.

છાશના નમૂના લઇને લેબોરેટરી ચકાસણી માટે મોકલ્યા છે. પારાવાડામાં નાથાભાઇ અળશીભાઇ કારાવદરાના પુત્ર મયુરના લગ્ન પ્રસંગના જમણવારમાં છાશ પીધા બાદ લોકોને ઝેરી અસર થઇ હતી.

(3:51 pm IST)