Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ગોંડલમાં કાલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાર્યક્રમ

વલ્લભાચાર્યજીના જીવન ચરિત્રને જીવંત કરતી નૃત્ય નાટીકા રજુ કરાશેઃ રાત્રે ૮:૩૦ વાગ્યે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે આયોજન

ગોંડલ તા.૧૯: ગોંડલમાં ગુજરાતમાં પ્રથમવાર વલ્લભ કુલભુષણ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયના દિવ્ય સાનિધ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ગોંડલ દ્વારા આયોજીત  આધ્યાત્મ વિદ્યામંદિર અને વિક્રમ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રસ્તુત જગદ્દગુરૂ વલ્લભાચાર્યજીનાં જીવન ચરિત્રને જીવંત રજુ કરતી નૃત્ય નાટીકા તા. ૨૦ના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે દાસજીવણ પાર્ટી પ્લોટ જેતપુર રોડ, ગોંડલ ખાતે યોજાશે આ પ્રોગ્રામનો લાભ લેવા દાસીજીવણ સત્સંગ મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.(૧.૮)

(10:36 am IST)