Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

બાબરા પાસે ટ્રક અને મારૂતીવાન અથડાતા ર વ્યકિતઓના મોત

મૂળ ભાવનગરના હાલ ગાંધીધામ રહેતા અબ્દુલ કુલસન અને ઇમરાનભાઇ સોડા ભરવાનું મશીન રીપેરીંગ કરવા જતાં અકસ્માતઃ બન્ને મૃતદેહોનું બાબરામાં પોસ્ટ મોર્ટમ

બાબરા તા.૧૯: બાબરા તાલુકાના ગલકોટડી ગામ નજીક ગત મોડી રાત્રીના સમયે ટ્રક અને મારૂતીવાન ધડાકાભેર અથડાતા મારૂતીવાનમાં બેઠેલા મૂળ ભાવનગરના રહેવાસી અને હાલ ગાંધીધામ કચ્છ રહેતા  બે મુસ્લિમ વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. બંનેની ડેેથબોડી પોસ્ટમોર્ટમ માટે બાબરા પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ ભાવનગરના રહેવાસી અબ્દુલ કુલસન મહંમદ કુરેશી (ઉ.વ.૫૮) ગાંધીધામ ખાતે મારતિવાનમાં સોડા અને ઠંડાપીણાનું મશીન લગાવી વ્યવસાય કરે છે. સોડાનું મશીન ખરાબ થતાં ગાંધીધામથી મોડી સાંજે નીકળી અને ભાવનગર મશીન રીપેર કરાવવા આવી રહયા હતા. ત્યારે સાથે તેના સંબંધી ઇમરાનભાઇ નુરમહંમદભાઇ ડોડીયા (ઉ.વ.૩૦) પણ સાથે હતા રાત્રીના સમયે ગલકોટડી નજીક ટ્રક અને મારૂતીવાન અથડાતા ઘટના સ્થળે કરૂણ મોત થયા છે.

બનાવના પગલે વ્હેલી સવારે સરકારી દવાખાને મિત્રો પરિવાર સંબંધી દોડી આવ્યા છે. અને બનાવ અંગે પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે.(૧.૭)

(10:36 am IST)