Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઉપલેટાના ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા ભકિતદીદીને શ્રધ્ધા સૂમન અર્પણ

ઉપલેટા તા. ૧૯ :.. પોરબંદર રોડ ઉપર જલારામ મંદિરના સ્થાપક પૂજય ભકિતદીદીનું અવસાન થતાં ઉપલેટામાં શોકની લાગણી પ્રસરી હતી. ધારાસભ્ય લલીતભાઇ વસોયા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર નગરપાલીકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા રણુભા જાડેજા કૃષ્ણકાંત ચોટાઇ અમીતભાઇ શેઠ જગદીશભાઇ ગણાત્રા, સી. એમ. નથવાણી, સંજયભાઇ ઉનડકટ, કારાભાઇ કાનાણી, જનકભાઇ ગણાત્રા સહિતના આગેવાનોએ ભકિતદીદીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

આગેવાનોએ જણાવેલ કે ભકિતદીદીનું જન્મ સ્થળ ઉપલેટા હતું અને તેમનું કર્મ સ્થળ રાજકોટ હતુ તે ઉપલેટા દર વર્ષે સર્વ જ્ઞાતીય સમુહલગ્નમાં અનેક પરીવારોને ઉપયોગી બનતા આ ઉપરાંત રાજકોટમાં માતુ સમર્પણ આશ્રમ જલારામ અનાથ આશ્રમ જે સંસ્થાઓ દ્વારા લોકોને ઉપયોગી બનાતા ભકિતદીદીના અવસાનથી ઉપલેટા શહેર તથા તાલુકાએ એક સેવાભાવી વ્યકિત ગુમાવ્યાનું જણાવી તેમને શ્રધ્ધાંજલી આપેલ હતી.

(11:44 am IST)