Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ભૂપેન્દ્રભાઇ પટેલ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી દ્વારકાધીશ મંદિરે દર્શન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

દેવભૂમિ દ્વારકા તા. ૧૮ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૨૦ શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જયાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પુજન અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નયારા એનર્જી રીફાઇનરી દ્વારા આયોજિત આ શિલાન્યાસ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,  રાજયના કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા, ધારાસભ્યશ્રી આર.સી.ફળદુ, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમજ આ તકે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી હરદીપ એસ. પુરી કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે.

(1:00 pm IST)