Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે પુ. જેન્તિરામબાપાનો સત્સંગ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮: જામજોધપુરથી ર૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે કાલે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે રાત્રે ૯ કલાકે પુ. જેન્તિરામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં પુ. જેન્તિરામબાપા આધ્યાત્મિક જીવનમાં નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેવી રીતે થાય તે અંગે માર્ગદર્શન આપશે તેમજ આપણા શાસ્ત્રો પુરાણોમાં રહેલ દેવ દિવાળી તથા ગુરૂનાનક જયંતિનું અને જીવનમાં ગુરૂનો મહિમા શું ગુરૂની ભૂમિકા શું તે વિષય પર સત્સંગ દ્વારા મુમુક્ષો સૌ ભકતોને પ્રવચન આપશે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત મુંબઇ તેમજ દેશ વિદેશથી ભાવિકો ઉપસ્થિત રહી ધર્મલાભ લેવાના હોય જેને ધ્યાને લઇ પુ. બાપાના માર્ગદર્શન હેઠળ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ મુંબઇના સેવક સતિષભાઇ પરમાર તેમજ રાજેશભાઇ શીલુ હિતેષભાઇ શીલુ અને કમલેશભાઇ શીલુ સહિત સંત પરિવારના ભકતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:06 pm IST)