Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મૈત્રી કરાર છૂટા કરી મહિલાએ લગ્ન કરી લેતા યુવક સહિત ૪ શખ્‍સોએ મહિલાના પતિ ઉપર હુમલો કર્યો

જામનગર તા.૧૮: સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિરલભાઇ મહેન્‍દ્રભાઇ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧૧-૨૦૧૯ના જનતા ફાટક જેકુરબેન સ્‍કુલ, શુભલક્ષ્મી દુકાન પાસે આ કામના ફરીયાદી વિરલભાઇની પત્‍ની જયોતિબેનને અગાઉ આ કામના આરોપી યુગલ જીતુભાઇ હીંગોરીયા બારોટ સાથે મેત્રી કરાર  થયેલ હોય અને તેની સાથે રહેતી હોય અને પછી તેની સાથે છુટા થઇ જતા ફરીયાદી વિરલભાઇએ જયોતિબેન સાથે લગ્ન કરી લીધેલ હોય અને હાલતમાં તેની સાથે રહેતી હોય અને તેનો ખાર રાખી આ કામના આરોપીઓ યુગલ જીતુભાઇ હીંગોરીયા, સોકત અનવરભાઇ મલેક, લાલો કિશોરભાઇ બારોટ રે.જામનગરવાળાએ ફરીયાદી વિરલભાઇને પાઇપ તેમજ ધોકાથી માર મારી છરી બતાવી તેમજ હાથમાં સામાન્‍ય ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને ફરીયાદી વિરલભાઇના ઘરે જઇ ઘરની બહાર પડેલ પ્‍લાસ્‍ટીકનો ભંગારનો સામાન સળગાવેલ જેવી ઘર બહાર પડેલ કપડા સળગી જતા તેમજ ઘરની બહાર પડેલ હોન્‍ડા મોટરસાયકલ રજી.નં.જી.જે.૧૦-બી.કે.૬૫૭૨ વાળામાં ધોકા મારી અંદાજીત કિંમત રૂા.૧૨૦૦૦નું નુકશાન કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા અગિયાર ઝડપાયા

જામનગરઃ સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ.રાજેશભાઇ ભીમજીભાઇ બથવાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧૧-૧૯ના શંકર ટેકરી ખાતે રહેતા આ કામના આરોપી પ્રવિણભાઇ નારણભાઇ ચાવડાના પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાને અન્‍ય આરોપી બાબુલાલ હીરાભાઇ પડાયા, લખમણ જીવણભાઇ જાદવ, રમેશભાઇ મુળજીભાઇ સીંગરખીયા, કિરણભાઇ લખમણભાઇ યાદવ, તુલસીભાઇ મોહનભાઇ ગોહીલ, પ્રકાશ કાંતીભાઇ રાઠોડ,શંકર ખીમજીભાઇ પરમાર, રાહુલ કિશોરભાઇ રાઠોડ, દિનેશભાઇ પ્રેમજીભાઇ ધવડ, જીવણભાઇ રામજીભાઇ ચૌહાણ, રે.જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્‍યાન રોકડા રૂા.૩૪,૩૦૦ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

બેડમાં ન્‍હાવા પડેલ યુવાનનું ડુબી જતા

જામનગઃ બેડગામે રહેતા મનસુખભાઇ નાથાભાઇ સિગલ, (ઉ.વ.૪૦),એ સિક્કા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭-૧૧-૧૯ના આ કામે મરણજનાર રમેશભાઇ નાથાભાઇ સિંગલ, ઉ.વ.૩૫, રે.બેડ ગામવાળા નદીમાં ન્‍હાવા ગયેલ હોય અને નાહતા નાહતા પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે.

ચાલીને જતા વૃધ્‍ધનું ચકકર આવતા મોત

જામનગરઃ લાલપુર ગામે દરબાર પાડામાં રહેતા ઇન્‍દ્રજીતસિંહ રણજીતસિંહ જાડેજા, (ઉ.વ.૩૦)એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬-૧૧-૧૯ના દરબાર પાડો લાલપુરમાં રહેતા રણજીતસિંહ નારણજી જાડેજા, ઉ.વ.૬૨,રે. દરબાર પાડો, લાલપુર ગામવાળા પગપાળા ચાલીને જતા હોય ત્‍યારે ચકકર આવતા પડી જતા બેભાન હાલતમાં સારવારમાં લઇ જતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

 

(3:07 pm IST)