Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જુનાગઢમાં સમુહનાત જમણના દાતા મશરૂનું સન્માન

જુનાગઢ : સંત શિરોમણી પુજયપાદ શ્રી જલારામબાપાની રર૦ મી જન્મજયંતિ પ્રસંગે જુનાગઢ લોહાણા મહાજનશ્રીના ઉપક્રમે સમુહજ્ઞાતિ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવેલ. આ સમુહ ભોજનમાં ૧પ હજાર કે તેથી વધુ લોકોએ સમુહ ભોજન લેવા પધારેલ હતા.

જુનાગઢ લોહાણા મહાજનનો વર્ષોથયા શિરસ્તો છે કે જેમના તરફથી સમુહ ભોજન (નાત) કરવામાં આવે તે દાતાશ્રીનું તથા મહાજનશ્રીના પ્રમુખશ્રીનું ઉપસ્થિત રહેલા રઘુવંશી પરિવારો તથા મહાજન સભ્યશ્રીઓ તરફથી પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોઇ દાતાશ્રી ન હોવાથી લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂને જુનાગઢ કોમર્શીયલ કો.ઓપ. બેન્ક ના ચેરમેન ડોલરભાઇ કોટેચા, મહામંત્રી નંદલાલભાઇ ચોલેરા ઉપપ્રમુખ જશુભાઇ ઉનડકટ, અશ્વીનભાઇ મણીયાર, કારોબારી સભ્ય બ્રિજેશભાઇ પટેલીયા, દિપકભાઇ રૂપારેલીયા, આશિતભાઇ કારીયા, કૃષ્ણકાંત રૂપારેલીયા, મહેન્દ્રભાઇને પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતુ. મહેન્દ્રભાઇની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓની ગેરહાજરીમાં ઉપપ્રમુખ જશુભાઇ ઉનડકટે જવાબદારી સંભાળેલ. મહેન્દ્રભાઇ જશુભાઇ ઉનડકટને પાઘડી પહેરાવેલ તેમજ અશ્વિનભાઇ મણીયારને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:59 pm IST)