Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કેશોદમાં રવિવારી બજારથી વાહનચાલકો રાહદારીઓ પરેશાન

કેશોદ :  બસ સ્ટેશન રોડ મુખ્ય માર્ગો પર દર રવિવારે ગુજરી બજારના કારણે ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકો રાહદારીઓને પસાર થવું મુશ્કેલ થતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે

કેશોદના ચાર ચોકથી બસ સ્ટેશન મુખ્ય માર્ગો પર ઠેર ઠેર લારીઓ તથા યુનીયન બેંકની બાજુમાં દર રવિવારે ગુજરી બજારમાં ભારે ભીડના કારણે તથા મુખ્ય માર્ગો પર અણધડ વાહન ર્પાકિંગથી ભારે ટ્રાફિક જોવા મળે છે જેના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને પસાર થવુ અસહ્ય બનેછે અગાઉ પણ રવિવારી બજારના કારણે રોમીયોગીરી તથા ટ્રાફિક જામ સમસ્યાને કારણે શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા હતા ત્યારે થોડા સમય પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલીંગ કરવામા આવતુ પણ સમસ્યાનો ઉકેલ ન થયો હોય તેવુ લાગી રહ્યું છે દર રવિવારે કેશોદના ચાર ચોકથી બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર મન ફાવે ત્યાં વાહનો પાર્ક કરવામાં આવતા અન્ય વાહનો તથા રાહદારીઓએ પસાર થવુ મુશ્કેલ બનતુ હોય ત્યારે પોલીસ દ્વારા દર રવિવારે ગુજરી બજારના ટ્રાફિકને ધ્યાનમાં લઈ પોલીસ ખાતા દવારા ત્વરીત પગલા લેવામાં આવે ત્તેવી લોક માંગ ઉઠવા પામી છે.

(1:56 pm IST)